એવા જમુનાજીના નામ અને પ્રાણ પ્યારા છે,
એવા મહારાણીજીના પાન અને પ્રાણ પ્યારા છે.
પ્રાણ પ્યારા છે અમને અધિક વાલા છે,
એવા જમુનાજીના નામ
સૂરજ દેવતાની દીકરીને યમરાજાની બેનડી,
વરીયા ચૌદ ભુવનના નાથ અમને પ્રાણ પ્યારા છે
એવા જમુનાજીના નામ
શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકરાણી ઘાટે બિરાજતા,
આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણ પ્યારા છે
એવા જમુનાજીના નામ
જમુનાજીમાં પાન કરતા પાપી પાવન થાય છે,
એના દર્શનથી દુઃખ જાય અમને પ્રાણ પ્યારા છે
એવા જમુનાજીના નામ
તાલ મૃદંગને વેણુ વાગે શોભાનો નહીં પાર રે,
બલિહારી જાય “માધવદાસ’ અમને પ્રાણ પ્યારા છે
એવા જમુનાજીના નામ