02 વૈષ્ણવ જન તો તેને રે કહિયે


વૈષ્ણવ જન તો તેને રે કહિયે,
જે પીડ પરાઈ જાણે રે
પરદુ;ખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ના આણે રે
વૈષ્ણવ જનતો….

સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે
વાંચકાચ મન નિશ્ચય રાખે,
ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જનતો…

મોહમાયા વ્યાપે નહિ જેને,
દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી રે લાગી,
સકલ તીર્થ જેના મનમા રે
વૈષ્ણવ જનતો…

વણલોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ્ નિવાર્યા રે
ભણે નરસૈયા તેનું દર્શન કરતા,
કુલ એકોતેર તાર્યા રે
વૈષ્ણવ જનતો….


Leave a Reply

Your email address will not be published.