29 શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા


શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા
શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા
એનો એળે ગયો જન્મારો,
હે મનવા તારા ભાગ્યમાં રહ્યો ભટકારો

દેવને દુર્લભ એવો મળ્યો મનુષ્ય દેહ
પૂર્વના શુભ કર્મ હજારો,
અમુલખ દેહ મળ્યો તૃપ્તિનો
એમાં તૃષ્ણાએ કર્યો વધારો
હે મનવા

કંચન કામિની હાસ્ય વિનોદમાં
સમય ગુમાવ્યો તે તારો,
વૃતિ તારી ચડી વંટોળિયે
જેમ ચડે છે ગબારો
હે મનવા

વિષય રસ તે માન્યો મીસરી
હરી રસ લાગે તને ખારો,
સાધુ સંતોનો સંગ કર્યો
નહી સંગ કર્યો નઠારો
હે મનવા

નાત જાતના ઉત્પાત અંતરમાં
ખેલ ખેલ્યો તે નઠારો,
અમરદાસ જીવ મોહ્યો માથામાં
તને ક્યાથી જડશે કિનારો
હે મનવા


Leave a Reply

Your email address will not be published.