નારાયણનુ નામ જ લેતા,
વારે તેને ભજીએ રે,
મનસા વાચા કર્મણા કરીને
લક્ષ્મી વરને ભજીએ રે,
નારાયણનુ નામ જ લેતા…
કુળને તજીયે કુટુંબને તજીયે
તજીએ માં ને બાપ રે,
ભગિની ,સુત, દારાને તજીયે,
જેમ તજે કસુકી સાપ રે
નારાયણ નું નામ જ લેતા…
પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ,
ના તજીયું હરિનું નામ ને
ભરત શત્રુઘને તજી જનેતા,
નવ તજીયા શ્રીરામ ને
નારાયણ નું નામ જ લેતા…
ઋષિ પત્નિ એ હરિ ને કાજે,
તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કઈ ન ગયુ રે,
પામી પદારથ ચાર રે
નારાયણ નું નામ જ લેતા…
વ્રજ વનિતા વિઠ્ઠલને કાજેજી,
સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃંદાવનમાં રે,
મોહનવર સુમાલી રે
નારાયણ નું નામ જ લેતા…