29 અમે મહિયારાં રે ગોકુળ ગામનાં


અમે મહિયારાં રે ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મહિયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે મારે દાણ દેવા, નહીં લેવા,
મહિયારા રે ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે મારે જાગી જોવું ને જાવું.
મહિયારા રે ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,
મહિયારા રે ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા,
મહિયારા રે ગોકુળ ગામનાં


Leave a Reply

Your email address will not be published.